નમસ્કાર, સાબર ડેરી-હીમતનગર, સાબરકાંઠા અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પશુપાલન અંગે સંદેશ, પશુઓમાં કૃમિ પડયાના લક્ષણો જેવા કે પશુ ખોરાક ઓછો લે ,નબળું પડે,દેખાવમાં સુસ્ત રહે,શરીર પરના વાળ બરછટ થઈ જાય અને આંગળીથી હલકે હાથે ખેંચતા વાળ ખરી પડે છે. નાના બચ્ચમાં વિકાસ મંદ પડી જાય અને પેટ મોટું થયેલું જણાય. બચ્ચમાં ઝાડા થઈ જાય અને કબજિયાત જોવા મળે છે. પશુ જમીન ચાટે /માટી ખાય. આંખમાંથી પાણી ઝરે છે અને પિયા વળે છે. વધારે પડતાં કૃમિના કારણે પશુઓમાં આફરો ચઢે છે .દુર્ગંધ માળતા ઝાડા થાય. જડબાના નીચેના ભાગમાં અને કામળા આગળ પાણી ભરાયાનો સોજો આવે છે .મોટા પશુઓમાં પ્રજનન તંત્રના અવયવો અપૂરતા પોષણથી શિથિલ થઈ જાય છે અને પશુમાં વંધત્વ આવે છે. ચામડીના દર્દો પણ થાય છે. દૂધ ઉત્પાદનમાં 10 થી 20 ટકા ઘટાડો થાય છે. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી, આભાર.
Comment | Author | Date |
---|---|---|
Be the first to post a comment... |
Copyright © 2025 Reliance Foundation. All Rights Reserved.