નમસ્કાર, આણંદ કૃષિ યુનિવર્સીટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મગફળી પાક અંગે સંદેશ, મગફળીના ઉભા પાકમાં નીંદામણ નિયંત્રણ માટે કવીઝાલાફોપ દવાનું ૧૦ લી. પાણીમાં ૧પ થી ર૦ મી.લી. દવા નાખી છંટકાવ કરવાથી ઘાસ વર્ગના નીંદામણનું નિયંત્રણ કરી શકાય છે. આ દવા નીંદામણ ર૦ થી રપ દિવસનું થાય અને જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે છંટકાવ કરવો વઘારે હિતાવહ છે. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી, આભાર.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||